વીરપુર

મહિસાગર જિલ્લાના વીરપુર માં મુકેશ્વર મહાદેવ મંદિર ની સામે સ્ટ્રીટ લાઈટ નો વિજપોલ છેલ્લા કેટલાય સમય થી નમી પડેલો છે.આ સ્ટ્રીટ લાઈટનો પોલ દિવસે ને દિવસે વધુ પ્રમાણમાં નામી રહ્યો છે.

જાહેર રસ્તા પર આ વિજપોલ આવેલ છે જેના કારણે કોઈપણ સમયે મોટી જાનહાની થઈ શકે તેમ છે.વાહનચાલકો અને રાહદારીઓ આ રસ્તા પર થી જીવનાં જાેખમે અવર જવર કરતા હોય છે..છેલ્લા કેટલાય સમય થી આ પોલ નમી ગયેલ હોવા છતાં તંત્ર દ્વારા પોલ ની મરામત કરવામાં આવતી નથી.આ નમી પડેલા પોલ ના કારણે આવનાર દિવસોમાં કોઈ વ્યક્તિ નો જીવ જાય તો જવાબદાર કોણ? તંત્ર ક્યારે આ પોલ નું સમારકામ કરશે.

કોઈ વ્યક્તિ ને મોટું નુકસાન થાય ત્યારે.કેટલાય સમય થી આ પોલ જાહેર રસ્તા વચ્ચે નમી પડેલ હોવા છતાં તંત્ર આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આ વીજપોલથી વાહનચાલકો માટે ભયજનક હોવાથી ગમે ત્યારે જમીન પર પડી શકે છે તેથી સત્વરે પગલાં લેવા જરૂરી બન્યાં છે.