શિનોર ઃ શિનોર તાલુકાના માંડવા ગ્રામ પંચાયતે બાવા પ્યારે દરગાહ બંધ હોવા અંગેની જાહેરાત કરી શનિવારે ઘટેલી ઘટના બાદ ગ્રામ પંચાયતનો ર્નિણય ના રોજ તારીખ ૧૫ મેના રોજ નર્મદા નદીમાં નવા ના બહાને મોટી સંખ્યામાં ઊમટેલા લોકોના ટોળાં ની ઘટના બાદ જાગેલી માંડવા ગ્રામ પંચાયત એ કોરોના મહામારી ના કારણે બાબા પ્યારે દરગાહ બંધ હોય દર્શન ના બહાને નદીમાં નાહવા કોઈ આવવું નહીં તેમ જણાવ્યું છે શીનોરના માંડવા નર્મદા તટે બાબા પ્યારેની દરગાહ આવેલી છે જ્યાં વડોદરા જિલ્લા સહિત આજુબાજુના જિલ્લામાં થી બાવા પ્યારે દરગાહ માં આસ્થા ધરાવતા અનેક મુસ્લિમ બિરાદરો ભારે આસ્થા સાથે અહીં દર્શને આવતા હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી આ પવિત્ર સ્થાન ને કેટલા લોકોએ ખાણીપીણી ની મોજ મજા માણવા આવતા દરગાહમાં આસ્થા ધરાવતા શ્રદ્ધાળુઓ માં નારાજગી જાેવા મળતી હતી.