હરિધામ સોખડાના સંત પૂ.હરિપ્રસાદ સ્વામીના વૈકુંઠગમનથી તેમના લાખો શિષ્યોમાં વ્યાપેલા શોક વચ્ચે આજે પૂ. સ્વામીજીના નશ્વરદેહને દર્શનાર્થે રખાયેલા પ્રાસાદમાં ‘ગુરુ’ના અંતિમ દર્શન માટે લાંબી કતારો લાગી હતી. આગામી તા.૧લીએ સ્વ.ના નશ્વરદેહના અંતિમસંસ્કાર કરાશે, ત્યાં સુધી રોજ વહેલી સવારથી આ દૃશ્યો રોજે-રોજ સર્જાશે.