વડગામ : પાલનપુર નશાબંધી વિભાગ દ્વારા અમીરગઢ તાલુકાના ઝાઝરવા આંગણવાડી કેન્દ્ર ખાતે વ્યસન મુક્તિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વ્યસન મુક્તિ શિબિરમાં ગામની મહિલાઓ, કિશોરીઓ અને ગામના યુવાનોને વિવિધ વ્યસનથી થતા રોગો અંગે નશાબંધી ખાતાના પ્રોગ્રામ ઓફિસર કે.આર.દ્રારા જાણકારી અપાઈ હતી. નહેરુ યુવા કેન્દ્રના ટ્રેનિંગ ઓફ ટ્રેનર અમીચંદભાઇ શ્રીમાળી તથા રમેશભાઇ પલાણી, આચાર્ય જનકભાઇ તથા રાજેશભાઇ પટેલ સહિત ઝાઝરવા પ્રાથમિક શાળાના શિક્ષકગણ વ્યસન મુક્ત શિબિરમાં ઉપસ્થિત રહ્યા હતા.