વડોદરા, તા.૨૯

વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ફિઝિક્સ વિભાગમાં પ્રોફેસર પદેથી નિવૃત્ત થયા બાદ અનેક સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા પ્રોફેસર બંદૂકવાલાનું આજે અવસાન થયુ હતું. તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને સમાજના અગ્રણીઓ જાેડાયા હતા.

વડોદરાના પ્રતાપગંજ વિસ્તારમાં રહેતા પ્રો.જે.એસ. બંદૂકવાલા પ્રોફેસર બંદૂકવાલા તરીકે ઓળખાતા હતા. તેઓ હ્યુમન રાઇટ્‌સ માટે અવારનવાર અવાજ ઉઠાવતા હતા અને આંદોલન કર્યા હતા. આ ઉપરાંત તેઓ પોતાના સમાજ માટે પણ લડતા હતા. તેઓ એક એક્ટિવિસ્ટ હતા તેમજ દેશની અનેક એનજીઓ સાથે સંકળાયેલા હતા.

આજે પ્રોફેસર બંદૂકવાલાના અવસાનના સમાચારે તેમની સાથે કામ કરનાર લોકોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. શહેરના રાજકીય, સામાજિક અને શૈક્ષણિક શેત્રે સંકળાયેલા લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.