રાજકોટ, તા.૧
રાજ્યમાં હાલ કોરોના સંક્રમણનાં કિસ્સા ગામડાઓ સુધી પહોંચી ગયા છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેમા પણ તહેવાના દિવસો પણ નજીક આવી રહ્યાં છે. જેના કારણે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૯થી ૧૬ ઓગસ્ટ સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તહેવારના આ દિવસોમાં ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ૯થી ૧૬ ઓગસ્ટ સુધી મંદિરના દ્વાર ભક્તો માટે બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોના વાયરસના વધતા સંક્રમણમાં ખોડલધામ મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો એકઠાં ન થાય તે માટે સંપૂર્ણ મંદિર પરિસર જ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે. ૯ ઓગસ્ટથી ૧૬ ઓગસ્ટ બાદ સરકારની ગાઈડલાઈન મુજબ મંદિર રાબેતા મુજબ દર્શન માટે ખુલ્લુ રહેશે. એટલું જ નહીં, પણ મંદિર દ્વારા લોકોને કામ વગર ઘર બહાર નહીં નીકળવા અને તહેવારોમાં વધુ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાના આ સપ્તાહમાં જ જન્માષ્ટમી અને સ્વતંત્રતા દિવસની જાહેર રજાઓ આવી રહી છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments