દિલ્હી-

ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં સારું પ્રદર્શન કરી આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકામાં મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. દિલ્હીના મુખ્યપ્રધાનને આ વાતનો નશો હજી પણ ઉતરી નથી રહ્યો. કેજરીવાલે એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે, ગુજરાતમાં મોંઘી વીજળી, ખેડૂતોની આત્મહત્યાની સાથે સાથે સરકારી હોસ્પિટલો અને સ્કૂલોની કફોડી હાલત અંગે સવાલ કર્યા હતા.


હાલમાં જ ગુજરાતના સુરતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. સુરત મનપાની કુલ 120 બેઠકોમાંથી ભાજપે 93 અને આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી છે. આ સાથે જ સુરતમાં હવે આમ આદમી પાર્ટી મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે. ગુજરાતમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ સારું પ્રદર્શન કરી જીત મેળવી છે. જોકે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને હજી પણ આ જીતનો નશો ઉતર્યો નથી. કેજરીવાલે ટ્વિટ કરી ભાજપ પર કટાક્ષ કર્યો છે.