દિલ્હી-

તમામ પ્રયાસો છતાં દેશમાં કોરોના વાઇરસના સંક્રમણના કેસોમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 48,513 નવા કેસ સામે આવ્યા છે અને 768 લોકોનાં મોત થયાં છે.દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના 45,000થી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 15 લાખને પાર થઈ છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 15,31,669 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 34,193 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 9,88,029 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 5,09,447એ પહોંચી છે. રિકવરી રેટ 64.25 ટકાએ પહોંચ્યો છે.

દેશમાં 1,77,43,740 ટેસ્ટ, 28 જુલાઈ સુધીમાં કોવિડ-19ના કુલ 1,77,43,740 સ્મ્પલોના ટેસ્ટિંગ થઈ ચૂક્યાં છે, જેમાં 4,08,805 ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યાં હતાં, એમ ICMRએ કહ્યું હતું.