દિલ્હી,

થાપણદારોના હિતોની રક્ષા સુનિશ્ચિત કરવાની બેન્કોની કટિબદ્ધતાને પગલે રાષ્ટ્રપતિએ બેન્કિંગ નિયમન (સુધારા) વટહુકમ, 2020 ની જાહેરાત કરી છે. આ વટહુકમને પગલે બેન્કિંગ નિયમન વટહુકમ, 1949માં સુધારો અમલી બન્યો છે, જે સહકારી બેન્કોને લાગુ થશે. વટહુકમનો ઉદ્દેશ વધુ સારું સંચાલન અને દેખરેખ સુનિશ્ચિત કરીને થાપણદારોના હિતોનું રક્ષણ કરવાનું તેમજ સહકારી બેન્કોને મજબૂત કરવાનું છે. એ માટે અન્ય બેન્કો બાબતે અગાઉથી જ ભારતીય રિઝર્વ બેન્ક (આરબીઆઈ) પાસે ઉપલબ્ધ અધિકારો હેઠળ સહકારી બેન્કોને પણ લાવવામાં આવશે, જેથી પ્રોફેશનલ વલણ અપનાવીને વ્યવસ્થિત બેન્કિંગ નિયમન સુનિશ્ચિત કરી શકાય અને આની મદદથી મૂડી સુધીની તેમની પહોંચ પણ શક્ય બનાવી શકાય.

 જે ‘બેન્ક’ અથવા ‘બેન્કર’ અથવા ‘બેન્કિંગ’ શબ્દનો ઉપયોગ કરતી ન હોય તેમજ જે ચેકો આપનાર તરીકે કામ નથી કરતી, તેવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ) અથવા સહકારી મંડળીઓને આ સુધારા લાગુ પડશે નહીં.