દિલ્હી,
૧લી જુલાઈથી સમગ્ર દેશમાં અનલોક-૨.૦નો પ્રારંભ થશે. જે દરમિયાન વધુમાં વધુ કોમર્શિયલ પ્રવૃતિઓ શરૂ થાય તેવો પ્રયાસ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કર્ફયુના સમય મર્યાદામાં ઘટાડો થઈ શકે છે. આ અંગેનો નિર્દેશ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો હતો. દુકાનો રાત્રીના ૯ સુધી ખુલી રાખવાની મંજુરી મળે તેવી શકયતા છે. અકિલા જ્યારે કર્ફયુ મધરાતથી સવારે ૫ સુધીનો રહેશે.
દુકાનો અને હોટલો રાત્રીના ૯ સુધી ચાલુ રાખવાની મંજુરી મળશે કે જે હાલ સાંજે ૭ વાગ્યા સુધીની છે. અત્યારે રાત્રીના ૯ થી સવારના ૫ સુધીનો કર્ફયુ છે તેમા પણ મોટી રાહત આપવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે, વડાપ્રધાન સાથેની ચર્ચામાં એવી ચર્ચા થઈ હતી કે અનલોક-૨.૦માં વધુમાં વધુ કોમર્શિયલ પ્રવૃતિઓ શરૂ થાય તેવો પ્રયાસ રહેશે.
જો કે કોઈપણ પ્રકારની જાહેરાત કરતા પૂર્વે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન્સની રાહ જોશે તેવુ તેમણે કહ્યુ હતું. ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા દિવસોમાં વધુ રાહત આપી મોલ્સ અને થીયેટરોને પણ ચાલુ કરવાની છૂટ મળશે. આગામી દિવસોમાં દુકાનો વધુ સમય સુધી ખુલી રાખી શકાશે એટલુ જ નહિ કર્ફયુના કલાકો પણ ઘટશે કે જેથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થઈ શકે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments