અંબાજી : પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ શનિવારે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન સુપ્રસિધ્ધ યાત્રાધામ અંબાજીની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને અંબાજી મંદિરે પહોંચી મા અંબાના દર્શન કર્યા હતા. અમિત ચાવડાએ માતાજીની કપૂર આરતી કરી મા અંબાના આશીર્વાદ મેળવ્યા હતા તેઓએ માતાજીની ગાદી ઉપર ભટ્ટજી મહારાજ પાસે રક્ષા પોટલી બંધાવી આશીર્વાદ લીધા હતા. સંગઠનની બાબતને લઈ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત કરી હતી.તેઓએ માતાજી સમક્ષ કોરોનાના વિનાશ માટે અને ખેડૂતોને અતિવ્રૃષ્ટિમાં જે નુકસાની આવી છે તેમાં તેમને રક્ષણ મળે તેવી પ્રાર્થના કરી હતી. તાજેતરમાં જ ભાજપ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પોતાની રેલી સભામાં સોશ્યિલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા હતા. તેને લઈને પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોરાનાનું સંક્રમણ ન વધે તે આપણા સૌની જવાબદારી છે.જો સામાન્ય નાગરિક સામે કાર્યવાહી કરાતી હોય તો નેતાઓ દ્વારા જે સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હોય તેની સામે સરકારને પગલાં લેવા જણાવ્યું હતું.