વડોદરા, તા.૨૫ 

ધર્માચાર્યો, સંતો ઉપર અભદ્ર ટિપ્પણી તથા હુમલાના પ્રયાસોનો સંતો-મહંતો તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિરોધ કરીને આવા બનાવોમાં કોની સંડોવણી છે તેની તપાસ કરી લોકોની સમક્ષ લાવવાની માગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં

આવ્યું હતું.

શહેર-જિલ્લાની વિવિધ ધાર્મિક સંસ્થાના મહંતો, અગ્રણીઓ સહિતે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, સનાતન ધર્મ તથા સનાતન ધર્માચાર્યો તથા સંતો ઉપર સોશિયલ મીડિયા તથા અન્ય માધ્યમો દ્વારા અતિદુષ્ટતાભર્યા આક્ષેપો, અભદ્ર ટિપ્પણી તથા હુમલાના પ્રયાસો પાછળ કઈ કઈ વ્યક્તઓ તથા સંસ્થાઓની સંડોવણી છે તેની સઘન તપાસ કરી જનતાની સમક્ષ તથા સનાતન ધર્મની સમક્ષ બહાર લાવવા વડોદરાના ૭૨૦૦ જનતાની સહી સાથેનું આવેદનપત્ર આપ્યું હતું.