વડોદરા

લવજેહાદ અને વિધર્મીઓ દ્વારા હિન્દુ મહિલાઓ પર વધતા જતા ગુનાઓના આરોપીઓ સામે સખ્ત કાર્યવાહી કરવાની માગ સાથે વિશ્વ હિન્દુ પરિષદે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

વિશ્વ હિન્દુ પરિષદે આપેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, તાજેતરમાં ઘણાં સમયથી શહેરમાં વિધર્મીઓ દ્વારા લવજેહાદ જેવા કિસ્સાઓ આચરવામાં આવી રહ્યા છે. રોજબરોજ કોઈક ને કોઈ ઘટના બનતી હોય છે તે પછી કોઈ હિન્દુ દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેના બીભત્સ ફોટા-વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી બ્લેકમેઈલ કરી મુસ્લિમ ધર્મ અંગિકાર કરવા માટે બળજબરી કરવી, આવા પ્રકરણમાં જાે કોઈ દીકરી તેનો વિરોધ કરે તો તેના પર જીવલેણ હુમલાઓ થાય છે વગેરે જેવા કૃત્ય કરીને શહેરની શાંતિ ડહોળાય છે. શહેરમાં બહેન-દીકરીઓની સુરક્ષા બાબતે પ્રશ્નો ઊભા થયેલ છે. હિન્દુ બાળકીઓ ઉપર મુસ્લિમ નરાધમો દ્વારા આવું ક્રૂરતાભર્યું કૃત્ય કરવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ આવા કૃત્યોને સખ્ત શબ્દોમાં વખોડે છે. આ કૃત્ય આચરનાર આરોપીઓને પકડી તેમની વિરુદ્ધ તાત્કાલિક ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી જાહેરમાં ફાંસીની સજા કરવામાં આવે તેવી હિન્દુ સંગઠનોની માગણી અને લાગણી છે. આ માટે રાજ્ય સરકારને સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવી જાેઈએ તેવી હિન્દુ સંગઠનોની માગણી છે.

વડોદરાના કારેલીબાગ, માંજલપુર, તરસાલી જેવા વિસ્તારો પછી તાજેતરમાં શહેરના વાસણા વિસ્તારમાં રહેતી યુવતીને તે જ વિસ્તારમાં રહેતા નરાધમ વિધર્મી મુસ્લિમ યુવકે પ્રેમજાળમાં ફસાવી યુવતી સાથે દુષ્કર્મ આચરી તેને ધર્મ પરિવર્તન માટે બળજબરી કરી તેનો ગેરફાયદો લીધેલ છે જે અતિ ગંભીર બાબત છે. આવા કૃત્યો આચરનાર સામે કડક પગલાં લેવાની માગ કરી છે.