છોટાઉદેપુર, તા.૪ 

છોટાઉદેપુરના વોર્ડ ન. ૨ ના એક સ્થાનિક રહીશ ચેતનભાઇ કાળુભાઇ ગોસાઇએ તેમની મિલ્કત લઘુમતિ કોમના ઇલ્યાસભાઇ ખત્રી ને વેચાણ આપી હતી. આ મિલ્કત વેચાણ આપતા અગાઉ આજુબાજુના રહીશોની કોઇ જાણ સંમતિ ન મેળવતા રહીશોમાં રોશની લાગણી ફેલાઈ હતી. જેથી સ્થાનિક રહીશોએ આ રહેણાંક વિસ્તારને અશાંત ધારામાં સમાવવા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે હિન્દુ વિસ્તાર હોવા છતા તથા લઘુમતિ કોમને વેચાણ આપતા અગાઉ ફરજીયાત પણે જીલ્લા કલેક્ટરની પરવાનગી મેળવવી જરૂરી હોવા છતા કોઇ પણ પરવાનગી મેળવ્યા વગર વેચાણ દસ્તાવેજ થયેલ છે જેથી તેને રદ કરવા અને આ વિસ્તાર ના રહીશો દ્વારા હિન્દૂ વિસ્તારોને અશાંતધારા હેઠળ સમાવેશ કરવા ની તાત્કાલિક ધોરણે માંગણી કરી હતી.