અમદાવાદ-

48 કલાકના અલ્ટીમેટમ બાદ પણ સરકારે વાત ના સાંભળતા રેસિડેન્ટ ડોક્ટરોનો વિરોધ યથાવત છે. હાલ અમદાવાદ, બરોડા, સુરત, ભાવનગર, જામનગર, રાજકોટની સરકારી હોસ્પિટલના 4 હજાર જેટલા રેસિડેન્ટ ડોકટરો હડતાળ પર છે. 12/4/2021 માં બહાર પાડવામાં કોવિડ ડ્યુડી અંગે કરેલ 1:2 ની બોન્ડ પોલિસી અંગે રિઝલ્ટ આવતા સરકારે ફેરફાર કર્યો છે. રેસિડેન્ટ્ ડોકટરના મુદ્દાઓને સાંભળ્યા વગર જ બોન્ડમાં 1:1નો ફેરફાર કરવામાં આવતા રાજ્યની 6 સરકારી મેડિકલ કોલેજના રેસિડેન્ટ્સ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે.

તબીબોએ 4 દિવસ અગાઉ આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સમક્ષ આ માંગ કરી હતી પરંતુ હેલ્થ કમિશ્નર જયપ્રકાશ શિવહરેએ રજુઆત ના સાંભળતા ડોક્ટરોને અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. અગાઉ ચાર મુદ્દાઓ પર સરકારને રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર ડોક્ટરોની વાત સાંભળી રહી નથી.આખરે રેડસિડેન્ટ ડોક્ટરોના એસો. (JDA) દ્વારા તાત્કાલિક સારવારની સેવા બંધ કરવાનું આહવાન કર્યું હતું.  હડતાલના કારણે સિવિલ હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આજે દિવસ દરમિયાન ડોક્ટરો કામથી અળગા રહીને સૂત્રોચ્ચાર અને દેખાવો કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો. આ સાથે જુનિયર ડોક્ટર્સ એસો. દ્વારા કમિશનરના રાજીનામા સહિતની પાંચ માગણી રજૂ કરવામાં આવી હતી. આ તમામનો સ્વીકાર થાય પછી જ હડતાલ પાછી ખેંચવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે બોન્ડેડ ડોકટરની હડતાલ ખોટી અને ગેરકાયદે હોવાનો દાવો કર્યો છે. જે ડોક્ટરોએ ગ્રામ્ય વિસ્તારોમાં સેવા આપવી પડશે જે ડોક્ટરોએ સેવા ન આપવી હોય‌ તો 40 લાખ રૂપિયા ભરવાના રહેશે. જે ડોક્ટરો હડતાળ નહીં છોડે તેમને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપ્યા છે. જો નહીં માને તો તેવા લોકો સામે ફોજદારી કાર્યવાહી પણ કરવામાં આવશે.