જેતપુર, જેતપુરમાં પીવાના પાણીની સમસ્યા અને પાઈપ લાઈનને લઇને એક શખ્સે આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. આ મામલે તાલુકા પંચાયત કચેરી ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જાે કે, આત્મવિલોપન કરે તે પહેલાં પોલીસે શખ્સની અટકાયત કરી છે. જેતપુરના પેઢલા ગામના ભૂપત ગોહેલ નામના શખ્સે તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પીવાના પાણીની સમસ્યા અને પાઈપ લાઈનને લઇ ભૂપત ગોહેલે આત્મવિલોપનની ચીમકી આપી હતી. તાલુકા પંચાયતના કેટલાક વિસ્તારોમાં ગંદા પાણીની સમસ્યાઓ જાેવા મળી રહી છે. ત્યારે આ મામલે સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ કર્યો હતો.છેલ્લા ૧૨ વર્ષથી પાણીની લાઈન નાખવામાં આવેલી છે, જે તૂટી ગઈ છે, જેથી પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ રહી છે. ભૂપત ગોહેલ નામના શખ્સે પઢેલા ગામમાં તૂટેલી પાઈપ લાઈન નવી નહીં નાખે તો આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments