દિલ્હી-
આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગંગા-જમુના તહજીબનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ હિંદુ-મુસ્લિમના ડીએનએને એક ગણાવી દીધુ. ત્યારબાદથી દેશભરની રાજનીતિ ગરમાઈ છે. સાથે જ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાગવત પર હુમલો કરીને તેમને ડીએનએ વિશે ઘણા સવાલ કર્યા છે.
મધ્ય પ્રદેશના સીહોરમાં મીડિયા સાથે વાત કરીને દિગ્વિજય સિંહે કહ્યુ કે જાે હિંદુઓ અને મુસલમાનોનુ ડીએનએ એક જ હોય તો ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? લવ જેહાદ વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? આનો અર્થ એ છે કે મોહન ભાગવત અને ઓવેસીનુ ડીએનએ એક જ છે. ત્યારબાદ તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રીય મંત્રી બનવા પર અભિનંદન આપ્યા. સાથે જ કહ્યુ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોણ આવશે એ પીએમ નક્કી કરે છે. એવામાં તે આના પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા.
દિગ્વિજયના વિચાર અલગતાવાદીઃ મ.પ્રદેશના ગૃહમંત્રી
દિગ્વિજય સિંહના નિવેદન પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે સર સંઘચાલક મોહન ભાગવતના વિચાર રાષ્ટ્રની એકતા અને અખંડતાના છે, જ્યારે દિગ્વિજયના વિચાર અલગતાવાદી છે. જ્યારે દિગ્વિજયના નિવેદનમાં માત્ર અને માત્ર સમાજના વિભાજનની વાત અને સાંપ્રદાયિકતા જ જાેવા મળે છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments