ગોધરા,ભારતીય સૈન્યની સંવેદનશીલ ગુપ્ત માહિતીઓ અને હીલચાલોને પાકીસ્તાનની કુખ્યાત એજન્સી આઈએસઆઈના ઈશારાએ સૈન્યના જવાનને બદલામાં નાણા પહોંચાડવાના દેશદ્રોહના સ્ફોટક ષડયંત્રમા સામેલ ગોધરાના પોલન બજાર વિસ્તારમાં આવેલા વાલી ફળીયા નં.૩ મા રહેતા બે સગાભાઈઓ ઈમરાન બાદ અનસ ગીતેલના જાસુસી ચહેરાઓના પર્દાફાશ વચ્ચે ઉત્તર પ્રદેશ એટીએસની ટીમે ગોધરા એસઓજીની કુનેહથી ઓપરેશન ક્રોસ કનેક્શન મિલીટ્રી ઈન્ટેલીજન્સને સફળતા પુર્વક પાર પાડીને ગત મોડી રાત્રે અનસ ગીતેલીને દબોચી લીધા બાદ ઉત્તર પ્રદેશ એટીએસના સત્તાધીશો આજ વહેલી સવારમાં વિમાન માર્ગે અમદાવાદથી લખનઉ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.  

પાડોશી દેશ પાકિસ્તાનની દુશ્મનાવટ માટે ભારતીય સૈન્યની સંવેદનશીલ અને ગુપ્ત માહિતીઓ સૈન્યના જવાનો પાસેથી એકત્ર કરવાના આઈએસઆઈના આ નાપાક હરકતો માટે જાસુસી કરતા ગોધરાના આ બે ગીતેલ બંધુઓના ગોરખધંધાઓનો પર્દાફાશ થતા ગોધરામાં ભારે સન્નાટો પ્રસરી જવા પામ્યો છે અને ગોધરા મા આઇ.એસ આઇ ના દેખાયેલા આ પગપેસારાઓમા દેશ વિરોધી હત્યામા સામેલ અન્ય જાસસી ચહેરાઓ પણ સામેલ હોવાની સંભાવનાઓની શક્યતાઓ ગોધરા ઓવર ટુ પાકીસ્તાનમા રહેલા સ્વજનોમા શરૂ થવા પામી છે. ગોધરા સ્થિત પોલનબજારમા વતીફળીયા નં ૩ મા રહેના અને કાપડના વ્યપાર અને સ્વજમોની મુલાકાત માટે પાકીસ્તાનમા જૂઇ ને ભારત વિરોધી લકયંત્રમા સૈન્ય ની ગુપ્ત અને સંવેદનશીલ માહીતિઓ આઇ. એસ. આઇ ને પહોચાડવા માટે જાસૂસગીરી કરવા તૈયાર થયેલા આ ગીતેલી બંધુઓ પૈકી ઇમરાન યાકુબ ગીતેલીને ભારતીય સૈન્ય ના બહુચર્ચિત વિશાખા પટૃનમ નૌ સેમાના જાસૂસી કાંડ મા હૈદરાબાદ એન આઇ એ ધ્વારા તા. ૧૪.૯.૨૦૨૦ ના રોજ ધરપકડ રપવામા આવી હતી એમા નૌ સેનાની ગુપ્ત માહીતિઓ આઇ.એસ.આઇ. સુધી પહોચાકવામા સૈન્ય ના જવાનોને ગણા પહોચાડવામાં ઇમરાન ગીતેલીની સંડોપણીઓ બહાર આવી હતી જેનાથી પોલીસ એલર્ટ છે.