આણંદ : તારાપુર ખાતે આવેલાં રાધાબાગ સોસાયટીમાં રહેતા રહીશોના સહયોગથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સના નિયમો સાથે કરવામાં આવ્યું હતું. સ્થાનિકોએ બહોળા પ્રમાણમાં તેનો લાભ લીધો હતો. સાથે સાથે આ પ્રવૃત્તિમાં આર્થિક મદદ કરનાર એવી રાધાબાગ સોસાયટીના રહીશોનો પણ જાહેરમાં આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.