વિરપુર, તા.૨૭ 

દેશમાં ચાલી રહેલાં મહાસંકટ કોરોના મહામારી સામે લોકોને રક્ષણ મળી રહે તે હેતુથી બાલાસિનોર ડેપો દ્વારા બાલાસિનોર સરકારી દવાખાના તરફથી હોમિયોપેથીક દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ સરકારી આર્યુવેદિક દવાખાનાએ ઉકાળાનું વિતરણ કર્યું હતું. બીજી તરફ નવયુગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. બાલાસિનોર ડેપોના નિલેશભાઈ ચૌહાણના હસ્તે વિરપુર બસ સ્ટેશન ખાતે ૨૬ જૂનના રોજ સવારથી બસમાં આવતાં જતાં મુસાફરો તેમજ અન્ય રાહદારીઓને ઉકાળો પીવડાવવામાં આવ્યો હતો. માસ્ક પહેર્યું ન હોય તેને માસ્ક આપવામાં આવ્યું હતું.