દાહોદ, તા.ર 

આજ રોજ પ્રજાવત્સલ , પારદર્શી વહીવટના પ્રણેતા , સંવેદનશીલ એવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીજી ના જન્મદિવસે ભાજપ જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઈ સોની તેમજ મિત્રો મહેશભાઈ પંચાલ ( પંચાયત સભ્ય ) , પ્રવિણભાઇ સોની , મહેશ આતરોલ દ્વારા વાલ્મિકી સમાજ અને સેવા વસ્તી માં માસ્ક , સેનેટાઈજર , નું વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ કોરોનાએ છેક ગ્રામ્ય સ્તર સુધી પોતાની અસર બતાવી છે ત્યારે વાલ્મિકી સેવા વસ્તીમાં જાગૃતતા આવે તે માટે મુખ્યમંત્રીના જન્મદિવસે સેવા વસતીમાં જઈ દો ગજ કઈ દુરી રાખવી , માસ્કનો ઉપયોગ કરવો તેમજ સેનેટાઈઝ થી હાથ કેવી રીતે ધોવા તે પ્રેક્ટિકલ કરી સમજૂતી આપી હતી અને ઘરે ઘરે માસ્કનું વિતરણ કર્યું હતું.