અરવલ્લી : સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વધુ ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજનાનો અરવલ્લી જિલ્લામાં મેઘરજની પી. સી. એન હાઇસ્કૂલ ખાતેથી જિલ્લા કલેકટર અમૃતેશ ઔંગાબાદકરના અધ્યક્ષ સ્થાને પ્રારંભ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં જિલ્લા સમાહર્તા અમૃતેશ ઔરંગાબાદકરે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતુંકે, આવનારા સમયમાં ખેડૂતોને ખેતીને નુકશાન ન થાય ઉભા પાકનુ ભેલાણ અટકાવવા અને ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા માટે ત્રણ યોજનાઓ સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટસ, કાંટાળી વાડ, ફળ અને શાકભાજી પાકોના બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિનામૂલ્યે છત્રી આપવાની યોજના અમલમાં મુકી છે જેનાથી ખેડૂતો આર્થિક લાભ લઇ પોતાના પગભર રહેશે. વધુમાં જંતુનાશક દવાઓ યુક્ત ખેતપેદાશ, પૌષ્ટીક આહાર, જમીન અને પર્યાવરણ સુધારણા જેવા અભિગમો સામે પ્રાકૃતિક ખેતી ઉત્તમ વિકલ્પ છે. જેથી રાજય સરકાર દ્વારા સુભાષ પાલેકર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોના કલ્યાણના સાત ક્રાંતિકારી ર્નિણય કર્યો છે.કલેકટર તથા મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને મંજૂરી પત્રો -હુકમોનુ વિતરણ કરવામાં આવ્યું હતું.