દીવ-
દીવ જિલ્લામાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં રાખીને દીવ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણી પ્રક્રિયાને મુક્ત, શાંતિપૂર્ણ અને સુખદ વાતાવરણમાં કરાવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી જિલ્લામાં કલમ ૧૪૪ લગાવી છે.
આ કલમ ના અમલ બાદ, કોઈપણ પ્રકારનાં મેળાવડા અથવા પ્રદર્શન પહેલાં જિલ્લા વહીવટીતંત્રની પરવાનગી લેવી જરૂરી રહેશે. જો આમ કરવામાં નહીં આવે, તો પ્રશાસન સંબંધિત વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકે છે. જિલ્લા કલેકટર સલોની રાયે આ સંદર્ભે આદેશ આપ્યો છે કે, કેટલાક અસામાજિક તત્વો દીવ જિલ્લામાં ગામ / જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં સામાજિક સમરસતા અને શાંતિ અને સલામતી બગાડવાનું કામ કરી શકે છે. આ અંતર્ગત કોઈપણ રાજકીય પક્ષે સરઘસ, દેખાવો અને સભાઓ લેતા પહેલા લેખિતમાં જિલ્લા ચૂંટણી અધિકારીની પૂર્વ મંજૂરી લેવી પડશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments