દિલ્હી-

અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટમાં દાન કરનારા માટે ઈન્કમ ટેકસમાં છૂટ આપવામાં આવશે. આ છૂટ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટમાં દાન આપવાથી મળશે. મંદિર નિર્માણ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બનાવાયું છે અને ટ્રસ્ટની મદદથી તમામ દાન લેવાઈ રહ્યા છે. નાણાંકીય વર્ષ 2020-21 માટે સરકારે અહીં ડોનેશન આપનારાને ટેકસમાંથી છૂટ આપવાનું નકકી કર્યું છે. 

આ ટ્રસ્ટમાં દાન કરનારાને માટે 50 ટકા સુધીનું ટેકસ ડિડકશન આપવામાં આવશે. ટ્રસ્ટની આવકને પહેલાં જ ઈન્કમટેકસ એકટના સેકશન 11 અને 12ના આધારો છૂટ આપવામાં આવી છે. આ છૂટ અન્ય નકકી ધાર્મિક ટ્રસ્ટોના જેવી જ છે.દાન આપનારા માટે વ્યક્તિએ રસીદ લેવી ફરજીયાત રહેશે. આ રસીદમાં ટ્રસ્ટનું નામ, સરનામું, પાન નંબર, દાન આપનારનું નામ, દાનની રકમ હોવી જરૂરી છે.નાણામંત્રાલય અનુસાર આ નિયમ ઈન્કમટેકસ નિયમ 1961ની કલમ 80 જીના આધારે અપાશે. 

આ નિયમમાં કોઈ પણ વ્યક્તિ, એચયુએફ કે કંપની કોઈ ફંડ કે ચેરીટેબલ સંસ્થાને આપવામાં આવેલા દાન પર ટેકસ છૂટ લઈ શકે છે. દાન કરવામાં શરતોનું ધ્યાન રાખવાનું રહેશે. આ યોગદાન ચેક, કેશ બંને રીતે કરી શકાશે.