મુંબઇ

બધાને હસાવનારા ભારતી સિંહ એનસીબીના નિશાના પર આવી છે. ભારતી અને તેનો પતિ હર્ષ હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. ભારતી અને હર્ષે કોર્ટમાં તેમના જામીન અરજી કરી હતી. જેની આજે એનડીપીએસ કોર્ટમાં સુનાવણી થવાની હતી. દરમિયાનમાં સમાચાર બહાર આવ્યા હતા કે બંનેની જામીન અરજી પર સુનાવણી આજે મુલતવી રાખવામાં આવી છે. જોકે હવે કોર્ટે તેની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે.

ભારતીસિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની જામીન અરજી પર ચુકાદો આપતી વખતે એનડીપીએસ કોર્ટે તેમને શરતી જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સમાચાર હતા કે બંનેની જામીન અરજી પર સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે સરકારી વકીલ અતુલ સરપંડે સેશન્સ કોર્ટની બે અલગ અલગ સુનાવણીમાં વ્યસ્ત છે. જેના કારણે આજે વકીલો કોર્ટમાં એનસીબીની તરફેણ કરી શકશે નહીં.પરંતુ બાદમાં કોર્ટે શરતી જામીન આપ્યા.