નવી દિલ્હી

જકાર્તા એશિયન ગેમ્સમાં ૧૦૦ અને ૨૦૦ મીટરમાં રજત પદક જીતનાર ભારતની મહિલા દોડવીર અને દુતીચંદને છત્તીસગઢ વિરની એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. કોરોના રોગચાળાને કારણે આ એવોર્ડ વર્ચ્યુઅલ રૂપે ૧૪ એપ્રિલના રોજ યોજાશે. છત્તીસગઢ સરકાર મહિલાઓને રમત સહિતના વિવિધ ક્ષેત્રમાં ફાળો આપવા બદલ તેમનું સન્માન કરશે. છત્તીસગઢ સરકાર દ્વારા જારી કરવામાં આવેલી એક રજૂઆત અનુસાર દુતીની રમતમાં ફાળો આપવા બદલ આ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો છે.

૨૦૧૯ માં દુત્તીએ ઇટાલીમાં યોજાયેલી વર્લ્‌ડ યુનિવર્સિટી ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો અને આવું કરનારી ભારતની પ્રથમ મહિલા રમતવીર બની.