વડોદરા : શ્રી સ્વામિનારાયણ મલ્ટિ સ્પેશ્યાલિટી હોસ્પિટલ- વડતાલ ખાતેના નવીન ઓક્સિજન પ્લાન્ટનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી ઇ-લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ હોસ્પિટલમાં વધુ એક ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવાની અપીલ કરતા આજ હોસ્પિટલ ખાતે બીજા ૫૦ બેડના ઓક્સિજન પ્લાન્ટની જાહેરાત કરવામાં આવી હતી.બીજા ઓક્સિજન પ્લાન્ટ માટે હોસ્પીટલના પ્રમુખ સહિત દાતાઓ દ્વારા જંગી દાન અને ૩૫ લાખની અદ્યતન એમ્બ્યુલન્સ ફાળવવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસંગે વડતાલ ખાતે ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી , પૂ નૌતમપ્રકાશ સ્વામી,ડો સંત સ્વામી મુખ્ય કોઠારી ,પૂ ગોવિંદપ્રસાદ સ્વામી મેતપુરવાળા, શુકદેવ સ્વામી નાર , શ્યામવલ્લભ સ્વામી, લાલજી ભગત જ્ઞાનબાગ વગેરે સંતો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે વડતાલના સેવાકાર્યમાં સહયોગી સેવકોનું પણ સન્માન કરવામાં આવ્યું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્યામવલ્લભ સ્વામીએ કર્યુ હતું. આજે પુ.અથાણાવાળા સ્વામીની પુણ્યસ્મૃતિમાં આમ્રોત્સવ યોજાયો હતો જેની પ્રસાદી અનાથાશ્રમ અને વૃધ્ધાશ્રમમાં વહેંચાશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments