વડોદરા, તા.૧૨

ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ લિ. ભરૂચ દ્વારા આજના આધુનિક યુગમાં સોશિય્લ મીડિયા કે મોબાઈલથી કૃષિલક્ષી માહિતી, કંપનીના વિવિધ ઉત્પાદનોની વિશેષતાઓ તેમજ સરકારની કૃષિ યોજનાઓ, બજારભાવ, કૃષિ સમાચારો, પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથાઓ, વિવિધ સંશોધનો વગેરે સરળ ભાષામાં ખેડૂતો ુસધી પહોંચે તે હેતુથી તાજેતરમાં કંપનીના એમડી અને અધિક મુખ્ય સચિવ (નાણા) પંકજ જાેશીના હસ્તે જીએનએફસી નર્મદા કિસાન પરિવાર પત્રનું ઈ-વિમોચન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કે.એસ.રંધાવા, બી.વી.વસોયા (નાયબ ખેતી નિયામક), મનીષ બિલ્લોરે, ખાતર વિતરક સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના ૮૦ કરતાં વધારે