ગાંધીનગર-

રાજ્યમાં શાળાઓ શરૂ થાય તે બાબત નો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ, યુનિવર્સિટી, તમામ સ્ટેકહોલ્ડરો સાથે અનેક મિટિંગ કરી છે, સરકારે હવે આખરી નિર્ણય કર્યો છે, દિવાળી વેકેશન બાદ એટલે 23 નવેમ્બરથી શિક્ષણ કાર્ય શરૂ થશે. વિધાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીંબાકીના ધોરણો અને વર્ગો સમયાનુસાર જાહેરાત કરશે, વિધાર્થીઓની હાજરી ફરજીયાત ગણાશે નહીં,વાલીઓની લેખિત સંમતિ મેળવવાની રહેશે, થર્મલ ગન થી ચેકીંગ, સાબુ વડે હાથ ધોવાની વ્યવસ્થા, અને સામાજિક અંતરની જવાબદારી શાળાના આચાર્યની રહેશે, સમતી માટે એક ફોર્મ આપવામાં આવશે, અગત્ય ની સૂચનાઓ ફોર્મમાં લખેલ હશે. ધોરણ 9 થી 12 ના વર્ગો, ભારત સરકારના એસ.ઓ.પી સાથે શરૂ થશે. કોલેજમાં પણ 23 નવેમ્બર થી શિક્ષણકાર્ય શરૂ થશે. કોલેજમાં પોસ્ટ ગ્રેજ્યુએટ, મેડિકલ અને પેરા મેડિકલ શરૂ થશે, સ્નાતકમાં ફક્ત અંતિમ વર્ષના જ કલાસ શરૂ થશે. રાજ્યમાં શાળાઓ શરૂ થાય તે બાબતનો નિર્ણય કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યો છે.