નવી દિલ્હી

કોરોનાકાળની વચ્ચે દેશભરમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે, આ વિશેષ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદની શુભેચ્છાઓ પાઠવી છે, આ પહેલા શાહી ઇમામ મૌલાના મુફ્તિ મુકરમે જાહેરાત કર્યુ હતુ શવ્વાલની પહેલી તારીખે સમગ્ર દેશમાં ઈદ મનાવવામાં આવશે.

તમામ દેશવાસીઓને ઈદની શુભકામનાઓ! આ તહેવાર પરસ્પર ભાઈચારો અને સંવાદિતાની ભાવનાને મજબૂત કરવા અને પોતાને માનવતાની સેવા કરવા માટે ફરીથી સમર્પિત કરવાનો અવસર છે. ચાલો આપણે કોવિડ-19 થી નિકળવા માટે તમામ નિયમોનું પાલન કરવાનો તથા સમાજ અને દેશની ભલાઈ માટે કામ કરવાનો સંકલ્પ કરીએ.

ઇદ ઉલ-ફિતર મુસ્લિમ સમાજ રમઝાન ઉલ-મુબારકનાં એક મહિના પછી ઉજવે છે, ઇસ્લામિક કેલેન્ડરનાં બધા મહિનાની જેમ, તે પણ નવા ચંદ્રનાં દેખાયા ત્યારથી શરૂ થાય છે. આ એક મહિનો રોઝાનાં અંતની ખુશી સિવાય આ ઇદ પર મુસ્લિમો અલ્લાહનો આભાર માને છે કારણ કે તેઓએ તેમને એક મહિના સુધી રોઝા રાખવાની શક્તિ આપી છે. ઈદ દરમિયાન સારા ખાદ્ય ઉપરાંત નવા કપડા પણ પહેરવામાં આવે છે. સેવાઇ આ ઉત્સવની વિશેષતા છે અને આ કારણોસર, આ તહેવારને ‘મીઠી ઈદ’ પણ કહેવામાં આવે છે, જેનો હેતુ ફક્ત લોકોનાં જીવનમાં રહેલી મધુરતાને ઓગાળવા માટે છે.