દિલ્હી-
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ચૂંટણી પ્રચારમાં ઈજાગ્રસ્ત થયા બાદ રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. આ મામલામાં ટીએમસી નેતાઓએ ચૂંટણી પંચ સાથે મુલાકાત કરી નિષ્પક્ષ તપાસની માંગ કરી. તો આ મામલાને લઈને રવિવારે ચૂંટણી પંચે વિશેષ બેઠક બોલાવી હતી. ત્યારબાદ નંદીગ્રામ મામલા પર પંચે પગલા ભરતા મમતા બેનર્જીના સિક્યોરિટી ડાયરેક્ટરને પદ પરથી હટાવી દીધા છે.
આ સિવાય ઈસ્ટ મિદનાપુરના ડીએમ અને એપસી પર પગલા ભરવામાં આવ્યા છે. ડીએમ વિભુ ગોયલની તત્કાલ પ્રભાવથી બદલી કરી બિન ચૂંટણી પદ પર તૈનાત કરવાના નિર્દેશ આપ્યા છે. ગોયલના સ્થાને ૨૦૦૫ બેચના આઈપીએસ અધિકારી સ્મિતા પાંડેને તૈનાત કરવામાં આવ્યા છે.
તો મુખ્યમંત્રીના પ્રવાસ દરમિયાન સુરક્ષા બંદોબસ્તને મજબૂત રાખવામાં નિષ્ફળ રહેલ ઈસ્ટ મિદનાપુરના એસપી પ્રવીણ પ્રકાશને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રવીણના સ્થાને ૨૦૦૯ના આઈપીએસ સુનીલ યાદવ કમાન સંભાળશે.
પંચે રાજ્યના મુખ્ય સચિવને કહ્યુ છે કે સીએમ મમતા મામલામાં નોંધાયેલી એફઆઈઆરની તપાસ નિર્ણાયક થાય. સાથે ડ્યૂટીમાં બેદરકારી દાખવનાર અધિકારીઓને સખત સજા મળે. પંચે પંજાબના ગુપ્ત વિભાગના પૂર્વ પોલીસ અધિકારી અનિલ કપમાર વર્માને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર બનાવ્યા છે.
શર્મા રાજ્યની વિધાનસભા ચૂંટણીની વ્યવસ્થા જાેવા માટે બીજા સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર હશે. અત્યાર સુધી પંચે પૂર્વ આઈપીએસ અધિકારી વિવેક દુબેને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર બનાવ્યા છે.
પંચે આ ઘટનાની તપાસ આગામી ૧૫ દિવસમાં પૂરી કરી ૩૧ માર્ચ સુધી અહેવાલ સોંપવાનો નિર્દેશ આપ્યો છે. હાલમાં આયોગે પૂર્વ ડીજીપી ઇન્ટેલિજન્ટ પંજાબ, અનિલ કુમાર શર્માને બંગાળ ચૂંટણી માટે વિશેષ પોલીસ નિરીક્ષણ બનાવ્યા છે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments