અમદાવાદ, શહેરના દરેક વિસ્તારમાં કોઇને કોઇ બાબતે ખોદકામ ચાલી રહ્યું છે પરંતુ સુપર વિઝન નો અભાવ ઉડીને આંખે વળગે છે કુબેર નગર વિસ્તારના વોર્ડના શાસ્ત્રીચોક પાસે આવેલી ચાલીમાં ગટર લાઇનનું ખોદકામ કરવામાં આવ્યું હતું આ કામગીરી પૂરી થઈ ગયા ને વીસ દિવસ થયા પછી પણ ખાડાઓમાં યોગ્ય પુરાણ કરી રસ્તાનું કામ કરાયું નથી આ ઉપરાંત કેટલાક રહીશોના ઘરમાં આવતું પાણી પણ બંધ થઈ ગયું છે જેના લીધે સ્થાનિક લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે આ અંગે સ્થાનિકોએ તંત્રને ઓનલાઇન અને ઓફલાઇન ફરિયાદો કરી હોવા છતાં તંત્ર દ્વારા ૨૦ દિવસ સુધી કોઈ કામગીરી ન થતાં રોષે ભરાયા છે

કુબેરનગરમાં શાસ્ત્રી ચોક પાસેની ચાલીમાં કામગીરી બાદ તંત્રની બેદરકારીનો ભોગ સ્થાનિક લોકો બની ગયા છે ગટરો સહિત પાણીની લાઈનમાં તમારા કામ કર્યા બાદ ગંદકી ઉઠાવવાની સાથે કેટલાક લોકોના ઘરે પાણી આવતું હતું તે પણ બંધ થઈ જવાની ફરિયાદો ઉઠવા પામી છે સંત વહેલી તકે રોડ રસ્તાને યોગ્ય કરી કાટમાળ ઉઠાવીને પાણી શરૂ કરે તેવી માંગ સ્થાનિક લોકો કરી રહ્યા છે.