દિલ્લી,
કોરોના વાયરસને કારણે સર્જાયેલી સ્થિતીને કારણે સરકારની સાથે જ સામાન્ય લોકો પણ ભારે પરેશાન છે. આનું મુખ્ય કારણ એ છે કે આવી કટોકટી પહેલાં ક્યારેય નહોતી જાવા મળી. અગાઉની તમામ કટોકટી રોકાણકારોના સેન્ટમેન્ટ બગડવાને કારણે થઈ હતી. તે તમામ કટોકટીના કારણો પણ મળી ગયા હતા, પરંતુ હવે એક નવી સમસ્યાએ જન્મ લીધો છે. વર્તમાન કટોકટીને કારણે, નાણાકીય વર્ષ 2020-21માં વિશ્વભરના દેશોની GCPનો ગ્રોથ ઘટશે તે નક્કી માનવામાં આવે છે. આ સમય દરમિયાન લોકોની આવક પણ ઘટવાની ધારણા છે.
નાણાકીય વર્ષ 2021 માં ભારતનો GDP વૃદ્ધિદર 6.8% ઘટે તેવી સંભાવના જોવાઈ રહી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા ઇકોરાપ રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. જાકે, રિપોર્ટમાં એવી અપેક્ષા રાખવામાં આવી છે કે અનુકૂળ બેઝ ઇફેક્ટને કારણે નાણાકીય વર્ષ 2022માં ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરી વી શેપમાં હશે. રિપોર્ટ અનુસાર આ બેઝ ઇફેક્ટ અસરકારક સાબિત નહીં થાય તો ભારતીય અર્થવ્યવસ્થામાં રિકવરીમાં ચાર વર્ષનો સમય લાગી શકે છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે રિકવરી માટે ભારતની રાજકોષિય નીતિના પ્રતિસાદને વધુ આક્રમક બનવો પડશે. એશિયન નાણાકીય કટોકટી અને યુરો ઝોન કટોકટી સમયે અન્ય દેશો દ્વારા કરવામાં આવેલી ભૂલોનું પુનરાવર્તન ભારતે ન કરવું જાઈએ. નાણાકીય વર્ષ 2022માં ભારતની સોવરિન રેટિંગ પણ નીતિગત પ્રતિસાદના આધારે નક્કી કરવામાં આવશે.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments