શહેરની સયાજી હોસ્પિટલને કોરોનાકાળ સમયે મોટી સંખ્યામાં દાતાઓ તરફથી મળેલ લાખો રૂપિયાની કિંમતના વેન્ટિલેટરો હોસ્પિટલ તંત્રની ઉદાસીનતાને લીધે તાત્કાલિક સારવાર વિભાગની બિલ્ડિંગના ઉપલા માળે બિનઉપયોગી, મૃતઃપ્રાય અને ભંગારની હાલતમાં ધૂળ ખાતાં પડી રહ્યાં છે જે તસવીરમાં નજરે પડી રહ્યા છે.