અમદાવાદ, શહેરમાં વધુ એક વખત કોરોના સામે માત આપવા માટે ઉપયોગી એવા રેમડેસીવીર ઈન્જેક્શનની કાળા બજારી કરનાર ત્રણ શખ્સો સામે વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો નોંધાયો છે. જેમાં ત્રણેય શખ્સો હોસ્પિટલના ખોટા લેટર પેડ તથા સહી સિક્કા અને દર્દીઓના ડોક્યુમેન્ટ મેળવીને ૩૦ રેમડેસીવીરના ઈન્જેક્શન મેળવીને માર્કેટ કરતા વધારે ભાવમાં વેચી દીધા હતા. ત્રણ શખ્સો પૈકી એક શીફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સ્ટાફ તરીકે ફરજ બજાવતા હોવાથી આખુ કાવતરુ રચ્યુ હતુ. એલીસબ્રીજ પોલીસે ત્રણેયના વિરુદ્ધમાં હોસ્પિટલ સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કર્યો હોવાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.શહેરમાં કોરોના મહામારી વચ્ચે રેમડેસીવીર ઈન્જેક્શનની અછત ઉભી થઈ છે ત્યારે કાળા બજારીઓ સક્રીય બની ગયા હોવાનો વધુ એક કિસ્સો પ્રકાશનમાં આવ્યો છે. જેમાં શીફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલમાં સ્ટાફ તરીકે ફરજ બજવાતી મહિલા સહીત ત્રણ લોકો શીફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લેટર પેડ તથા સ્ટેપની ચોરી કરીને દર્દીઓના કોરોના પોઝીટીવ રીપોર્ટ અને આધાર કાર્ડની નકલ મેળવીને એસવીપી હોસ્પીટલ માંથી કોરોનાની સારવાર માટે વપરાતા રેમડેસીવીર ઈન્જેક્શન મેળવીને અમુક ઈન્જેક્શન પોતાની રીતે વેચાણ કાળા બજારી કરી દેતા હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં એસવીપી હોસ્પિટલમાંથી આ રીતે ૧૨૩ રેમડીસીવર ઈન્જેક્શન મેળવ્યા હતા જેમાં કુલ ૩૦ જેટલા રેમડીસીવીર ઈન્જેક્શનો ડોક્ટરના ખોટા પ્રિસ્ક્રીપ્શનનો તથા ખોટા ડોક્યુ મેન્ટો આપ્યા મેળવી લઈને કાળા બજારી કરી વેચી લઈને વિશ્વાસઘાત અને ઠગાઈ કરી હતી. આ અંગેની જાણ શીફા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના ડોક્ટર સહીતના સ્ટાફને જાણ થઈ હતી જેના પગલે આ અંગે એલીસબ્રીજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ત્રણેય લોકોના વિરુદ્ધમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે. વડોદરા ખાતે આવેલ મુન્શી હોસ્પિટલમાં દાખલ થયેલ સફવાન કોઠાવાલા તથા ઈલીયાસ કોઠાવાલા તથા શીફા હોસ્પિટલમાં દાખલ થયેલા આર્મે અંતાશુ તથા રાબીયાબેન પાધરસી સહીતના લોકોના ડોક્યુમેન્ટ મેળવી લીધા હતા. તથા ચાર લોકો કે જે હોસ્પિટલમાં દાખલ થયા ન હતા તેમના પણ ડોક્યુમેન્ટ મેળવીને હોસ્પિટલના લેટરપેડ તથા સહી સિક્કા કરીને તેમને અન્ય લોકોના ક્યુમેન્ટો મેળવીને એસવીપી હોસ્પિટલમાં જમા કરાવીને ૩૦ જેટલા રેમડેસીવીરના ઈન્જેક્શનો મેળવીને માર્કેટ કરતા ઉંચા ભાવે વેચીને કાળા બજારી કરી હોસ્પિટલ સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત કરી હતી.
Comments