રાજપીપળા, તા.૨૭ 

 ડેડીયાપાડાના ચીકદા ખાતે આવેલા એસ્સાર પેટ્રોલ પંપના કેશિયર અમરસિંગભાઈ વસાવા ૨૭/૧૦/૨૦૨૦ ના રોજ સવારે ૯ઃ૩૦ વાગ્યાની આસપાસ ૮ લાખ રૂપિયા રોકડ રકમ બેંકમાં જમા કરાવવા જતા હતા.તે દરમિયાન ભરાડા‌ પુલ‌‌ પાસે બે બાઈક પર આવેલા લૂંટારૂઓ તલવારથી અમરસિંહ ભાઈ વસાવા પર જીવલેણ હુમલો કરી ૮ લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકોએ અમરસિંહભાઈ વસાવાને ડેડીયાપાડા સીએચસી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડયા હતા. ડેડીયાપાડા ઝ્રૐઝ્ર ખાતે એમને માથાના ભાગે ૨૪ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા, હાલમાં પણ તેઓ બેભાનની અવસ્થામાં હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાની જાણ થતાં ડેડીયાપાડા પોલીસની ટીમ પણ એલર્ટ બની ઁજીૈં દેસાઈ, ઁજીૈં અજય ડામોર કેવડિયા બંદોબસ્ત માંથી સીધા જ ડેડીયાપાડા દોડી આવ્યા હતા.આ ઘટના સંદર્ભે નર્મદા ન્ઝ્રમ્ ની ટીમ દ્વારા તપાસનો દોર આરંભયો છે.લૂંટારુઓની બન્નેવ બાઈકો નંબર વગરની હતી ઘણા સમયથી આ લોકો આ લૂંટ કરવાની ફિરાકમાં હોય તેમ માની શકાય છે.હાલ પોલીસની ટીમેં ચારેવ દિશામાં તપાસ હાથ ધરી છે.એક તરફ વડાપ્રધાન મોદી નર્મદામાં આવવાના છે ત્યારે બીજી તરફ ૮ લાખની લૂંટથી પોલીસ પણ અવઢવમાં મુકાઇ છે.નર્મદા જિલ્લામાં આ મોટામાં મોટી લૂંટ હોવાનો પણ અંદાજો લગાવાઈ રહ્યો છે.જીવલેણ હુમલો કરીને ઘટનાને અંજામ આપી લુટારુઓ આરામથી ફરાર થઈ ચૂક્યા છે.જેની તપાસમાં પોલીસ નજીકના પેટ્રોલ પંપ સીસીટીવી કેમેરા સહિત આજુબાજુના લોકોને પણ પૂછપરછ કરીને આ લૂટની સઘન તપાસ હાથ ધરી છે.ચિકદા ખાતેના એસ્સાર પેટ્રોલ પંપનો કેશિયર ચારણી ગામના અમરસિંહ ભાઈ વસાવા છે.તેઓ ૯ઃ૩૦ ના અરસામાં ૮ લાખ જેટલી કેસ ભરવા માટે પોતાના પેટ્રોલ પંપ પરથી મોટરસાયકલ પર ઉમરપાડા ખાતે જાય છે તેવી ચોક્કસ બાતમી અને રેકીના આધારે લૂંટ થઈ હોય અને કોઈ જાણભેદુએ જ આ લૂટને અંજામ આપ્યો હોય તેવી શક્યતા પણ હાલમાં નકારી શકાતી નથી હાલ ડેડીયાપાડા સિવિલ હોસ્પિટલ ખાતે તેમની સારવાર ચાલી રહી છે.