બનાસકાંઠા-

ડીસા-પાટણ હાઇવે પર આવેલી સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતરમાં મૃત હાલતમાં ભ્રુણ મળી આવ્યું હોવાની ઘટના બની છે. ડીસા દક્ષિણ પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.

ભ્રુણ મળ્યું હોવાની માહિતી મળતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના અંગે જાણ કરતા તાત્કાલિક દક્ષિણ પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જ્યારે સેવાભાવિ મનુભાઈ આસનાનીની મદદથી ખેતરમાંથી મળી આવેલા ભ્રુણને ડીસા સિવિલ હોસ્પિટલમાં PM અર્થે ખસેડાયું હતું. ઘટના અંગે ભ્રુણ ફેંકનાર અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધી ડીસા દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે રાત્રિના સમયે ભ્રુણ ફેંકીને જનારી અજાણી વ્યક્તિ સામે લોકો ફિટકારની લાગણી વરસાવી રહ્યા છે.ડીસા-પાટણ હાઇવે પર આવેલા સરસ્વતી સોસાયટીની બાજુમાં એક ખેતરમાંથી ભ્રુણ મળી આવ્યું હતું. જેની જાણ ડીસા દક્ષિણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી.