પાદરા, તા.૨૦ 

પાદરામાં કોરોનાના નવા પાંચ કેસો નોંધાયા છે. પાદરામાં કોરોના કેસનો કુલ આંક ૪૧૪ પર પહોંચ્યો છે. કુલ મોતની સંખ્યા આરોગ્ય વિભાગ દ્વારા ચોપડે નોંધાઈ રહી છે.પાદરામાં આરોગ્ય વિભાગ ગમે તેટલા દાવાઓ કરતું હોય કે કોરોનાને નાથવામાં તંત્ર આક્રમકતા દાખવી રહી છે પરંતુ રોજેરોજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા સંક્રમણના કારણે લોકો અત્યારે ભયના માહોલમાં જીવી રહ્યા છે જેથી આરોગ્ય વિભાગ કેટલું કારગત છે તે ચર્ચાનો વિષય છે. પાદરા શહેર - તાલુકામાં આરોગ્ય ધન્વંતરી રથ દ્વારા જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ગ્રામય વિસ્તારોમાંની ગલીઓમાં ૩૦,૪૯૪ લોકોનું સ્ક્રિનિંગ હાથ ધરાયું હતું. જેમાં પ્રાથમિક લાગતા વળગતાઓ તેમજ બીમાર વ્યક્તિઓને સ્થળ પર સારવાર આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું.