ઝાલોદ, ઝાલોદ તાલુકા સહિત નગરમાં કોરોના કેશોમાં વધારો નોંધાતા નગરજનો માં ચિંતા વ્યાપેલી જાેવા મળી હતી.પાલિકા અને આરોગ્ય વિભાગ કોરોનાને લઈને સર્વે સહિતની વિવિધ કામગીરીઓ હાથ ધરાઈ રહી છે ત્યારે શુક્રવારના દિવસે પ્રાંત અધિકારી એસ.ડી. ચૌધરીની અધ્યક્ષતામાં દ્ગડ્ઢઇહ્લ ની ટીમ તથા આરોગ્ય વિભાગ દ્વારા કોરોના રોગથી જાગૃત કરવા સાથે સાવચેતી રાખે તેવા હેતુથી લોકોમાં જનજાગૃતિ માટે જાહેર માર્ગો પર રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. હાલમાં કોરોનાના વધતા કેશો ને લઈને સાવચેત રહેવા માટે નગરજનોને સૂચનોઓ સાથે અપીલ કરાઈ હતી.આ રેલીના કાર્યક્રમમાં ડીવાયએસપી બી.વી જાદવ,મામલતદાર વી.જી.રાઠોડ ,આરોગ્ય અધિકારી ડિ.કે.પાંડે અને પીએસઆઇ એસ.એન.બારીયા સહિત અલગ અલગ વિભાગોના કર્મચારીઓ જાેડાયા હતા.