અમદાવાદ, નિકોલના સંસ્કૃતિ ફ્લેટમાં રહેતા એક દંપતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ઘર કંકાસ ચાલી રહ્યો હતો. જાે કે આ ઘર કંકાસને કારણે પતિએજ તેની પત્નીની હત્યા કરી દીધી હતી. જાે કે પતિના પિતાને જાણ થતા તેને પકડી પોલીસે જાણ કરી હતી. બાદમાં પોલીસે હત્યાના ગુનો દાખલ કરીને પતિની ધરપકડ કરી હતી. બીજી બાજુ મૃતક પત્નીના મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથધરી છે.નિકોલ વિસ્તારમાંના સેવન ડે સ્કુલની પાસે આવેલ સંસ્કુત રેસીડેન્સીમાં રહેતા મીતેશ ભાનુ છુટક મજુરી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના પરિવારમાં પત્ની પીનલબેન (ઉ.વ.૨૭) અને ત્રણ દિકરીઓ અને મીતેશના માતા- પિતા રહે છે. મીતેશ અને પીનલબેન વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા દરમિયાન રવિવારે પણ બંન્ને વચ્ચે ઘર કંકાસના કારણે ઝઘડો થયો હતો ત્યારે મીતેશ  તેની પત્ની પીનલને બેડરૂમમાં લઈ જઈને દરવાજાે બંધ કરીને ઢોર માર માર્યો હતો. જાે કે મીતેશના પિતા દરવાજાે ખોલવાનું જણાવતા હતા તેમ છતા કોઈએ દરવાજાે ખોલ્યો ન હતા. બીજી બાજુ મીતેશ મારમારીને છરી વડે પત્ની પીનલ પર હુમલો કરી છરીના આડેધડ ઘા મારીને પત્ની પીનલને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ત્યારબાદ  દરવાજાે ખોલીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતો ત્યારે મીતેશના પિતાએ તેને પકડીને બેડરૂમમાં લઈ ગયા હતા. જ્યાં જઈને જાેયુ તો પીનલની લાશ પડી હતી. જેથી મીતેશના પિતાએ પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને જાણ કરી હતી. જેથી નિકોલ પોલીસનો ફાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. બાદમાં મૃતક પીનલબેનના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. બીજી બાજુ મૃતકના માતા-પિતાને પણ ઘટનાની જાણ કરી હતી. બાદમાં નિકોલ પોલીસ સ્ટેશનમાં મૃતક પીનલબેનની માતાએ જમાઈ મીતેશના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ને મીતેશની ધરપકડ કરી છે.

મિતેશે પીનલ સાથે ભાગીને લગ્ન કર્યા હતા

પીનલબેન ૧૩ વર્ષના હતા ત્યારે મિતેશ તેને ભગાડીને લઈ ગયો હતો અને બંન્નેએ લગ્ન કરી લીધા હતા. જે અંગે પીનલબેનની માતાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. જાે કે ભગાડી લઈ ગયો હોવાના છ વર્ષ પછી પીનલબેન અને મિતેશ પરત તેમની બે દિકરીઓ સાથે આવ્યા હતા. ત્યારબાદ અવાર નવાર પીનલ તેની માતાના ઘરે જતી હતી અને એક વર્ષ પહેલા પીનલએ તેની માતાને  જણાવ્યુ હતુ કે, તેનો પતિ તેના પર શક વહેમ રાખીને ઝઘડા કરી મારઝુડ કરી શારીરીક અને માનસિક ત્રાસ આપતો હતો.

બે મહિના તેમના પિયરમાં રોકાયા હતા

પતિ મિતેશ વહેમ રાખીને પત્ની પીનલ સાથે મારઝુડ કરતો હોવાથી પીનલબેન તેમના પિયરમાં તેમની માતાના સાથે રહેવા ચાલી ગયા હતા. જાે કે બે મહિના પછી પતિ મિતેશ તેને લેવા ગયો હતો અને ફરી ક્યારેય નહી મારઝુડ કરે તેમ કહીને સમાઘાન કર્યુ હતુ અને પરત ઘરે સાસરીમાં લઈને આવી ગયો હતો. તેમ છતા પણ અવાર નવાર વહેમ રાખીને મિતેશ તેની પત્ની પીનલને મારમારતો હતો. જાે કે તેની ત્રણ દીકરીઓનું ભવિષ્ય ન બગડે તે માટે પીનલ મુંગા મોઢે બધુ સહન કરતી રહી હતી.