સુરત-

સુરતમાં ભાજપના પૂર્વ મહિલા કોર્પોરેટર ઉર્મિલાબેન રાણાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે.

તેમણે કોરોના પોઝિટીવ હતો અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. કોવિડની ગાઈડલાઈન પ્રમાણે પ્રોટોકોલ મુજબ તેમની અંતિમવિધિ કરવામાં આવી.મહત્વનું છે કે સવારના પાંચ વાગ્યાના સમય દરમિયાન હોસ્પિટલમાં તેમનું મોત થયું. છેલ્લા દસ દિવસથી તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.