ગાંધીનગર-

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનું નિધન થયુ છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે બે વખત કાર્યકાળ પૂર્ણ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તે માર્ચ 1995થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલનું નિધન થયું છે. આ સમાચારથી રાજકીય જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કેશુભાઈ પટેલના નિધનના સમાચાર સામે આવ્યા બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. કેશુભાઈ પટેલને હાર્ટની તકલીફ થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચતા સુધીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. કેશુભાઈ પટેલનો જન્મ 24 જુલાઇ 1928માં થયો હતો. તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે માર્ચ 1995થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998 થી ઓક્ટોબર 2001 સુધી રહ્યા હતા.