ગાંધીનગર-

રાજયના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ કોરોનાથી સંક્રમિત થયા છે. કેશુભાઈનો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે.  ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેશુભાઈના પુત્ર સાથે વાતચીત કરી શું પરિસ્થિતિ છે તે અંગે જાણકારી મેળવી હતી. મળતી માહિતી મુજબ ગુજરાત પર કોરોનાનો કહેર વરસી રહ્યો છે. એક પછી એક નેતાઓ પણ કોરોનાના સંકજામાં આવી રહ્યા છે ત્યારે રાજયના પુર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનો કોરોના સંક્રમિત થયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અંગે કેશુભાઈના પુત્ર સાથે ટેલિફોનિક વાતચિત કરી હતી.