વડોદરા-

૧૯૯૨માં શહેર ભાજપ પ્રમુખ સ્વ.રમેશભાઇ ગુપ્તાની આગેવાનીમાં વડોદરાથી ભાજપના અનેક અગ્રણી તેમજ કાર્યકરો અયોધ્યા ગયા હતાં. બાબરી ધ્વંસ બાદ પરત ફરેલા અગ્રણીઓ પૂર્વ મંત્રી સ્વ.નલીન ભટ્ટ, ભુપેન્દ્ર લાખાવાલા સહિતનું ભવ્ય અભિવાદન ગાંધીનગર ગૃહ ખાતે કરવામાં આવ્યું હતું.

આ અંગે પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાએ ગયેલા સેવકો ૮મી ડિસેમ્બરે વડોદરા પહોંચ્યા હતાં. ત્યાર પછી ગાંધીનગર ગૃહ ખાતે જાહેર અભિવાદન થયું હતું. ગાંધીનગર ગૃહની ચારેબાજુ હજારોની સંખ્યામાં લોકો સ્વયંભુ ઉપસ્થિત રહ્યા હતાં. ત્યાર બાદ કાર સેવાનું વર્ણન કરવા પોળોમાં હું જતો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હતાં.

અને અમારૂ સન્માન કરવામાં આવતું હતું. ઉત્તર પ્રદેશના ઘણા ગામોમા અમને લોકો પગે લાગતા હતાં જ્યારે શહેરમાં પણ ઘણી પોળોમાં લોકો તીલક કરીને પગે લાગે તેવા ભાવવિભોર દ્રષ્યો આજે પણ યાદ છે. આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન રામ મંદિરનું ભુમી પુજન કરવા જવાના છે ત્યારે આ ઐતિહાસિક પ્રસંગમાં અમે સહભાગી થઇ શક્યા નથી પરંતુ ભુતકાળની યાદો

તાજી થઇ છે.