અમદાવાદ-

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ - આરએસએસના પૂર્વ પ્રાંત સંઘચાલક અમૃતભાઈ કડીવાળાનું આજે 83 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. તેઓ છેલ્લા એક મહિનાથી મ્યુકરમાઈક્રોસિસની બીમારી સબબ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આ સાંજે ચાર વાગ્યાના સુમારે તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું.

આરએસએસના પૂર્વ પ્રાંત સંઘ ચાલક અમૃતભાઈ કડીવાળાનું નિધન થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. જ્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ટ્વિટ કરીને પૂર્વ પ્રાંત સંઘ ચાલક અમૃતભાઈના નિધન અંગે શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ દરમિયાનમાં પૂર્વ પ્રાંત સંઘચાલક અમૃતભાઈની અંતિમ યાત્રા સાંજે સાત વાગે તેમના નિવાસ સ્થાને નીકળી હતી અને વાડજ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી.