દિલ્હી-

દેશમાં કોરોના વાયરસના મામલા તેજીથી વધી રહ્યા છે. આ કડીમાં ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગો પણ કોરોનાથી સ્‌ંક્રમિત થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે નવેમ્બર ૨૦૧૯માં રંજન ગોગોઈની અધ્યક્ષતા વાળી બેંચે જ રામ મંદિર કેસનો ફેસલો સંભળાવ્યો હતો.જણાવી દઈએ કે રંજન ગોગોઈ પહેલા દેશના બે કેબિનેટ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને અમિત શાહ પણ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને પોતાના સ્ટાફના અધિકારીને કોરોના પોઝિટિવ થયા બાદ ખુદને આઈસોલેટ કરી લીધા હતા.

ધર્મેન્દ્ર પ્રધાન પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. સંક્રમિત થયાની જાણકારી મળતા જ ગૃહમંત્રી અમિત શાહને ગુરુગ્રામ સ્થિત મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે પણ કહ્યું કે તેઓ સંપૂર્ણપણે ઠીક છે અને તબીબોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ થયા છે.