વડોદરા : ભાજપની ટીકીટ નહી મળતા નારાજ થઇને અપક્ષ ઉમેદવાર નોંધાવનાર વોર્ડ નં.૧૭ના પૂર્વ કાઉન્સીલર ભાવિનાબેન ચૌહાણને શહેર ભાજપ પ્રમુખ, મહામંત્રી ઉપરાંત રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે મળીને નારાજગી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. અને પોર્મ પરત ખેંચવા જણાવ્યું હતું. આજે ઉમેદવારીપત્ર પાછું ખેચવાના દિવસે ભાજપથી નારાજ થઇ અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ભાવિનાબેન ચૌહાણે તેમનું ઉમેદવારીપત્ર પાછુ ખેચી હું ભાજપમાં જ છુ અને ભાજપમાં જ રહીશ તેમ કહ્યું હતું. પૂર્વ મહિલા કાઉન્સીલર ઉપરાંત વોર્ડ ૭માં અપક્ષ અને આપ ના ઉમેદવાર, વોર્ડ ૧૨માં અપક્ષ ઉમેદવાર, વોર્ડ ૧૮માં એક અપક્ષ ઉમેદવાર અને વોર્ડ ૧૯માં ચાર ઉમેદવારોએ તેમનું ફોર્મ પાછુ ખેચ્યું હતું.