વડનગર,તા.૨૭
વડનગરમાં લોકડાઉન પછી પુરાતન વિભાગ દ્વારા પુનઃ ઉત્ખનન કામગીરી હાથ ધરાઈ છે. જ્યાં બોદ્ધધર્મ સંબંધી અવશેષો મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલ નજીક રેલવે ફાટકને અડી ૨૦૦૦ વર્ષ જૂના ૨ બાય ૩ મીટરના બે બૌદ્ધકક્ષ અને બૌદ્ધવિહાર હોવાની પ્રતિતિ કરાવતી ૨ મીટર ઊંડી અને ૧ મીટર પહોળી ચાર દીવાલો મળતાં કુતૂહલ સર્જાયું છે. હાલમાં પુરાતન વિભાગે આ અવશેષોને લઈ સંશોધન શરૂ કર્યું છે. નોંધનીય છે કે, બૌદ્ધકક્ષનો સમૂહ ધરબાયેલો હોવાનું મનાય છે.વડનગરમાં સિવિલ હોસ્પિટલ નજીક અગાઉ ખોદકામ દરમિયાન બૌદ્ધ ભિક્ષુકનું હાડપિંજર મળ્યું હતું. તેવામાં પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની લાઈન નાખવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન જમીન નીચે મોટી દીવાલ મળી આવતાં તેમણે પુરાતન વિભાગને જાણી હતી. આથી પુરાતન વિભાગ દ્વારા વધુ ખોદકામ કરાતાં ૨૦૦૦ વર્ષ જૂના બે બૌદ્ધકક્ષ અને ૨ મીટર ઊંડી અને ૧ મીટર પહોળી ચાર દીવાલો મળી હતી. જેના પરથી કહી શકાય કે અહીં બૌદ્ધ લોકોનો આશ્રય હોઈ શકે. તેની આજુબાજુ વિહાર કરવા માટે રૂમો હોઈ શકે. અગાઉ ઘાંસકોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન બૌદ્ધવિહાર મળી આવ્યો છે. ત્યારે રેલવે ફાટક નજીક મળી આવેલા અવશેષો પરથી પુરાતન વિભાગ અનુમાન લગાવી રહ્યો છે કે અહીં ૩૦ થી ૪૦ મીટર ઉત્તર અને દક્ષિણ અને ૮૦ થી ૧૦૦ મીટર પૂર્વ પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલો બૌદ્ધવિહાર ફેલાયેલો હોવો જોઈએ.
સંબંધિત સમાચાર
મોસ્ટ પોપ્યુલર
ક્વિક લિંક
- અજબ ગજબ
- એસ્ટ્રોલોજી
- બૉલીવુડ
- બજેટ ૨૦૨૧-૨૨
- બિઝનેસ
- સિનેમા
- ક્રાઈમ વોચ
- ધર્મ જ્યોતિષ
- શિક્ષણ
- ફેશન એન્ડ બ્યુટી
- ફૂડ એન્ડ રેસિપી
- હેલ્થ એન્ડ ફિટનેસ
- હોલીવુડ
- આંતરરાષ્ટ્રીય
- જ્યોતિષ
- લાઈફ સ્ટાઇલ
- રાષ્ટ્રીય
- રાજકીય
- ધર્મ
- સ્પેશીયલ સ્ટોરી
- રમત ગમત
- ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૧
- ટેક્નોલોજી
- ટેલિવુડ
- ટોક્યો ઓલિમ્પિક્સ
- ટ્રાવેલ
- વાસ્તુ
- વેબ સિરીઝ
Comments