અમદાવાદ, નરોડાના યુવકને નોર્થ અમરેકીમાં એમબીએ ના અભ્યાસ માટે સ્ટુડન્ટ વિઝા આપવવાનો વિશ્વાસ આપીને મહિલા સહીત બે લોકોએ રૂ.૧૪.૫૦ લાખ પડાવી લીધા હતા. જાે કે યુવકે તેમની પાસેથી રૂ.૪.૫૦ લાખ પરત મેળવી લીધા હતા. પરંતુ બાકીના રૂ.૧૦ લાખ પરત ન આપી ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા યુવકે નરોડા પોલીસ સ્ટેશનમાં બે લોકોના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી છે.

નરોડાના હરીદર્શન ચાર રસ્તા પાસે રહેતા નિલેશકુમાર પટેલને સ્ટુડન્ટ વિઝા મેળવી અમેરીકા ખાતે અભ્યાસ કરવા જવું હતું. જેથી નિલેશભાઈએ પાલનપુર રહેતા દીક્ષીત મેનત અને માનશી ઉર્ફે મધુ યશવંતરાવનો સપંર્ક કર્યો હતો. ત્યારે આ બંન્નેએ જાણાવ્યું હતું કે, તેઓ ઈસ્ટ મુંબઈ ખાતે પાસપોર્ટ અને સ્ટુડન્ટ વીઝાનું કામ કરે છે. જેથી તમેન સ્ટુડન્ટ વીઝા મળી જશે પરંતુ તેની ફી તથા અન્ય ખર્ચ પેટે રૂ.૧૪.૫૦ લાખ થશે તેમ કહીને વિશ્વાસમાં લીધા હતા. જાે થી નિલેશકુમારે પૈસા આપવા તૈયાર થઈ ગયા હતા. ત્યારબાદ વીઝાનું કામ ચાલુ કરી દીધું તેમ જણાવી અલગ અલગ રીતે રૂ.૧૪.૫૦ લાખ પડાવી લીધા હતા. જાે કે નિલેશભાઈએ તેમના વિઝા માગતા મધુ અને દીક્ષીતે વિઝા આપ્યા ન હતા અને થોડા દિવસમાં મળી જશે તેમ જણાવ્યું હતું. દિવસો વિતતા ગયા પરંતું નિલેશભાઈને વિઝા મળ્યા ન હતા. જેના કારણે નિલેશભાઈએ વીઝા માટે મધુ અને દિક્ષીતને ફોન કરવાના શરૂ કર્યા તેમ છતા પણ તે બંન્ને વાયદા પર વાયદા કરવા લાગ્યા હતા. જેથી નિલેશભાઈએ તે બંન્ને પાસેથી પૈસા પરત માંગ્યા હતા અને વિઝા નથી લેવા તેમ જણાવ્યું હતું. જેથી મધુ અને દીક્ષીતે તેમને ૪.૫૦ લાખ રૂપિયા પરત આપ્યા હતા અને બાકીના રૂપિયા નીકળતા રૂ.૧૦ લાખ ચૂકવ્યા ન હતા. જેથી નિલેશભાઈને પોતાની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા તેમણે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષીત અને માનશીના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઠગાઈ અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.