ગાંધીનગર

રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો થતા હવે ધીમે-ધીમે જનજીવન પાટે ચડી રહ્યુ છે.પહેલા રાજય સરકાર દ્વારા દિવસમાં કર્ફ્યુના સમયમાં વધારો કરવામાં આવ્યો એટલે હવે રાજ્યમાં દિવસ દરમ્યાન 9થી૬ સુધી તમામ દુકાનો અને બજાર ખુલ્લી રાખી શકાશે..આ સાથે આજે રાજ્ય સરકારે વધુ એક મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે.

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલે કે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે સોમવાર 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફ ની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.